What is Dysphagia?
ડીસ્ફેજિઆ શું છે?
મગજની સ્ટ્રોક સહિતની અન્ય ઈજાઓ બાદ ઉદ્દભવતી એક સામાન્ય બીમારીને ડીસ્ફેજિઆ કહે છે. મોઢાની સંવેદનશીલતા ઓછી થઈ જવા તથા મોઢા અને ગળવા માટેના ફેરીન્જીયલ સ્નાયુ વચ્ચેના જોડાણ સાથે પ્રાથમિક સંબંધ ધરાવે છે. ત્યારબાદ, ખોરાક અને પ્રવાહી શ્વસનતંત્રમાં પ્રવેશી જાય તેને એસ્પિરેશન કહેવાય છે. ખોરાક અને પ્રવાહીના એસ્પિરેશનથી ફેફસાંને મુશ્કેલી ઊભી થાય છે. જો એનો ઉપાય કરવામાં ન આવે તો એસ્પિરેશન ન્યુમોનિઆની બીમારી લાવે છે, જેને લીધે તબીયત પર જોખમ ઊભું થઇ શકે પરિણામે ક્યારેક મોટી ઉંમરનો દર્દી મરણ પામે છે. ઉપાય વગરના ડીસ્ફેજિઆની વધુ બીજી તકલીફો એટલે અપૂરતો ખોરાક લેવો, શરીરમાં પાણીની ઘટ અને વજનમાં ઘટાડો થાય.